શહેરા નગરમાં વહીવટી તંત્રએ લોકભવાઈ કાર્યક્રમ થકી મતદારયાદીમાં નામ નોંધણી કરાવા લોકોને અનુરોધ કર્યો

શહેરા,(પંચમહાલ),ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લામાં આવેલ શહેરા મામલતદાર કચેરી દ્વારા મતદારયાદીમાં લોકો પોતાનું નામ રહી ના જાય તે હેતુથી એક ઝૂંબેશના ભાગરુપે લોક કલાકારોની મદદથી મતદાર યાદીમાં પોતાનુ નામ નોંધાવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ભવાઈકળા દ્વારા રંગલો-રંગલીના પાત્રો તેમજ લોક કલાકારો થકી શહેરા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવું,ભૂલચુક હોય તો સુધારવાની તેમજ નવા નામોની નોંધણી કરવાની સહિતના કામગીરી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો અને દેશમાં યોજાતી ચુંટણીઓમાં મતદાન કરવુ એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહીના પાયાને મજબુત કરી શકીએ છે પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂર છે તેવું પણ સમજ અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here