લોટીયા ચોકડી પાસે રાત્રિના સમયે swift dzire ગાડીનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બારીયા રજનીશભાઈ શામળભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા તાલુકાના કાવીઠા ના વતની રજનીશભાઈ શામળભાઈ બારીયા જેવો શિક્ષકમાં સી આર સી તરીકે ફરજ બજાવતા હતા અને તેઓની ઉંમર 32 વર્ષની આસપાસ હોય અને તેઓ પોતાના વતન કાવીઠા ગામ થી વડોદરા જવા રાત્રિના 11:00 વાગે નીકળતા લોટીયા ચોકડી પાસે ગતરાત્રિના 11 વાગે લોટીયા થી બહાદરપુર તરફ જવાના રસ્તા પર જતા swift dzire GJ06 K h 9039 ગાડી નું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ગટરમાં ઉતરી જતા ગુલમોહોરના વૃક્ષમાં ધડાકા ભૈર અથડાતા રજનીશ ભાઈ બારીયા નું ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામ્યું હતું અને આ ઘટનાની જાણ બહાદરપુર આઉટ પોસ્ટ પોલીસને થતા પોલીસ દ્વારા 108 ને પણ બોલવામાં આવી હતી પરંતુ ઘટના સ્થળે જ મૃત્યુ થતાં જ કાવીઠા ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરના સદસ્યોને સાંત્વના પાઠવી હતી અને પીકપ ગાડી મા પીએમ અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જય આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here