કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે આજરોજ તા.૦૯/૦૮/૨૩ ને બુધવારે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ યુનિટ, જનરલ હોસ્પિટલ ગોધરા દ્વારા નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત સ્વસ્થ મન સ્વસ્થ તન થીમ પર આધારિત માનસિક રોગોના પ્રકારો અને તેના લક્ષણો તથા તેના નિવારણ માટેના ઉપાયો અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો જેમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી વિજયભાઈ ભરવાડ તથા ભાગ્યશ્રી ચૌહાણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.શાળાના આચાર્ય રીતેશ પંડ્યાએ વિધાર્થીઓને મળેલ જાણકારીનો ઉપયોગ જીવનમાં કરવા અપીલ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.