બોડેલી ખાતે સંખેડા વિધાનસભાના વિસ્તારના ભાજપના કાયૅકતૉનો નવા વષૅનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી વૈષ્ણવ વાડી ખાતે ૧૩૯ સંખેડા વિધાનસભા મતવિસ્તારના ભાજપના કાર્યકર્તાઓનો નવા વષૅનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો સંમેલનમાં સાંસદ ગીતાબેન રાઠવા જીલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, ધારાસભ્ય અભેસિંહ તડવી,જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ, પુર્વ સાંસદ રામસિંહ રાઠવા, કોષાધ્યક્ષ રાજુભાઈ ઉમાવાળા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ગીતાબેન રાઠવાએ ભાજપ દ્વારા થયેલા વિકાસના કામોનો ઉલ્લેખ કર્યો હતો સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ જોજવા – ઢેબરપુરા બ્રીજનો દાખલો આપતા જણાવ્યું હતું કે આગામી એપ્રિલ મહિનામાં આ નવા બ્રીજના બાંધકામ અર્થે ખાતમુહૂર્ત કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે અમારી રજુઆતને લઈને આ બ્રીજની મંજૂરી આવી છે ત્યારે આ તથા અન્ય કામોના જશ બીજી વ્યક્તિઓ ખાટવા મથે છે પરંતુ પ્રજા આ બધું જાણે છે સ્નેહ મિલન સંમેલનમાં દરેક કાયૅકતૉ સક્રિય થઈ જાય અને ફરીથી પ્રજાના કામ કરતી સરકાર આવે એ માટે મહેનત કરવા અપીલ કરી હતી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ ઉપસ્થિત સૌ કાયૅકતૉઓને સંગઠીત થઈ પક્ષ માટે કાયૅશિલ રહેવા વક્તવ્ય આપ્યું હતું આ ઉપરાંત પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પણ ઉપસ્થિત સૌ કાયૅકતૉઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું આ સ્નેહ મિલન સમારોહમાં બોડેલી, સંખેડા અને નસવાડી ત્રણ તાલુકાના મોટી સંખ્યામાં કાયૅકરો જોડાયા હતા કાયૅક્રમનુ સંચાલન અને સ્વાગત પ્રવચન મનોજ અગ્રવાલે કર્યું હતું કાયૅક્રમમા ત્રણેય તાલુકાના સરપંચો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here