બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિતાઝ મેમણ :-
બોડેલી બજાર સમિતિમાં કપાસની જાહેર હરાજી તા.17 એપ્રિલને શનિવારે અંતિમ દિવસ હોવાથી તે પહેલાં ખેડૂતો પોતાનો કપાસ વેચાણ અર્થે લાવે તેવું માર્કેટ સમિતિ દ્વારા જણાવ્યું છે.
હોળી ધુળેટી પછીં કપાસની આવક માં ઘટાડો થયો છે.મોટાભાગ નો કપાસ હોળી અગાઉ આવી ચૂક્યો છે.અત્યારે સંગ્રહિત કરેલો કપાસ ખેડૂત પોતાના સમયે લાવી રહ્યા છે.અત્યારે કપાસ નો ભાવ પણ વેપારીઓ ખેડૂતો ને હલકી ગુણવતા છતાં સારો ભાવ આપી રહ્યા છે.હાલ કોરોના ને લઇને માર્કેટ માં હરાજી નુ કામકાજ પૂર્ણ કરવાનો વેપારીઓએ નિર્ણય લેતા તા.17 ને શનિવાર અગાઉ ખેડૂતો પોતાનો કપાસ વેચાણ અર્થે લઈ આવે તેવો અનુરોધ કરાયો છે.