બોડેલી : આયુર્વેદિક ડ્રાય ઉકાળા તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી દવાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

બોડેલી,(છોટા ઉદેપુર) ઇમ્તિયાઝ મેમણ :-

ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,આયુષ નિયામક કચેરી,છોટાઉદેપુર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા,જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુએ જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણથી બચવા તેમજ લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદિક ડ્રાય ઉકાળા તેમજ સંશમનીવટી ગોળીનું વિના મૂલ્યે વિતરણનો કેમ્પ બોડેલી એસટી ડેપો પાસે રાખવામાં આવ્યો હતો.જેમાં 1800 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ આયુર્વેદિક કેમ્પમાં આયુર્વેદિક એમ.ઓ સેજલબેન ચૌધરી સહીત સ્ટાફ હાજર રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here