બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
આજરોજ અલીપુરા જુથ ગ્રામ પંચાયત અલીખેરવા માં એક મીટીંગનું આયોજય કરવામાં આવ્યું હતું જેમાં સરકારશ્રીના આદેશ થી પાંચ મુદ્દા ની ચર્ચા રાખવામાં આવી હતી. ૧ મુદ્દો ૧00 ટકા રસીકરણ કરાવવું (૨) મુદ્દો વતન પ્રેમી યોજના નો પ્રચાર પ્રસાર ઠરાવ (૩) મુદ્દો જલ જીવન મિસન નો ઠરાવ પ્રસાર પ્રચાર (૪) મુદ્દો અમૃત મહોત્સવની ઉજવણી કાર્યક્રમ પ્રચાર પ્રસાર. (૫) મુદ્દો ક્લીન ઇન્ડિયાનો ઠરાવ ( પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ) તેમજ બોડેલીના આગેવાનોને સાથે રાખીને ચર્ચા કરી હતી બોડેલી આગેવાનીમાં જીગ્નેશ ભાઈ ચોકસી મનોજભાઈ અગ્રવાલ તેમજ ડેપ્યુટી સરપંચ ભજા ભાઈ તેમજ અલીપુરા સભ્ય બહેનો તેમજ અલીપુરા ભાઈઓ ને સરપંચ કંચનભાઈ પટેલ અલીખેરવા ટલાટી સાહેબ સાથે રહીને આ મુદ્દાની ચર્ચા કરી હતી.