બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
પંચમહાલ જિલ્લા પાવાગઢ ખાતે હનુમાન મંદિર મહત ગડબડ દાસ બાપુ અને ગાબડીયા યુવક મંડળના સભ્યો અને મુરલીધર ગૌ શાળા ના સહયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહ રાખવામાં આવી હતી શ્રી ચારણ મહાત્મા જીવન ભગત મુખરવિદે થી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું હતું સપ્તાહના છેલ્લા દિવસે પાવાગઢની તળેટીમાં ગીરના સાહિત્ય કલાકાર એવા રાજભા ગઢવી આવ્યા હતા રાજભા ગઢવી ના ડાયરા ને જોવા માટે પાવાગઢ તળેટીમાં જન મેદાન સંખ્યા જોવા મળી હતી રાજભા ગઢવી ગીર ના એક ચારણ કવિ પંચમહાલમાં પહેલી વખત પાવાગઢ આવ્યા હતા પંચમહાલ જિલ્લા તેમજ આજુબાજુ વડોદરા તેમજ ગોધરા છોટાઉદેપુર બોડેલી ના રહીશો રાજભાનો ડાયરો લાવો લેવા પહોંચ્યા હતા પાવાગઢ ખાતે ચારણ ભરવાડ દરબાર તેમજ અઢારે વરણ ડાયરો જોવા ઉમટી પડ્યા હતા રાજભા ઉપર પૈસા નો વરસાદ વરસાવ્યો હતો રાજભા પછી હાલોલના કમલેશભાઈ બારોટ એ પણ ડાયરામાં મોજ કરાવી હતી તેમજ આજે પાવાગઢ રામ ટેકરી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્ત અને પૂર્ણ વિધિ કરવામાં આવશે.