પુજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોની જેમ મસ્જિદનાં મૌલાનાઓ અને દરગાહના ખાદીમોને પણ રાહત પેકેજમાં સમાવવા મુસ્લિમ સમાજની માંગ : મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ

મોરબી,
આરીફ દીવાન

સર્વે સમાજ એક સમાન વિકાસલક્ષી રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ફકીર સમાજના અધ્યક્ષ ઈરફાન સોહરવર્દી એ તાજેતરમાં જ તારીખ 23 9 2020ના રોજ લેખિતમાં રજૂઆત કરી મસ્જિદ દરગાહના ખાદી મૌલાના ઓને સરકાર શ્રી દ્વારા હક હિત અધિકાર આપી રાહત પેકેજ નો લાભ આપે તેવી આશાઓ સાથે પત્ર પાઠવ્યો છે જેમાં જણાવેલ વિગત એવી છે કે રાજ્ય સરકારે મહામારી કોરોના ને પગલે લોક ડાઉન અમલ માં આવતા રાજ્યનાં તમામ ધાર્મિક સ્થળો પર અવર જવર પર પ્રતિબંધ લાદી દેતા ધાર્મિક સ્થળો પર નભતા પરિવારો બેરોજગાર બન્યા હતા અને આર્થિક કટોકટી નો સામનો કરી રહ્યા હોય રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ આપવાની જાહેરાત કરતા અખિલ સૌરાષ્ટ્ર ફકીર સમાજના પ્રમુખ ઈરફાન શાહે રાજ્ય સરકારની આ પહેલને આવકારી અભિનંદન પાઠવ્યા હતા સાથોસાથ લઘુમતી બિરાદરો ની આસ્થા ના પ્રતીક દરગાહો અને મસ્જીદ સાથે સંકળાયેલા ધર્મગુરુઓ ને પણ આ પેકેજનો લાભ આપવા માંગણી કરી હતી.

વધુ માં આજરોજ જુનાગઢ જિલ્લાના યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક આવેદન પત્ર પાઠવી સરકારની સુચનાનુસાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હિંદુ પુજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણો ની વિગતો માંગતો પત્ર રાજ્ય ના તમામ કલેક્ટરો ને પાઠવતા સૌ નો સાથ સૌ નો વિકાસ નાં સૂત્ર સાથે કામ કરતી રાજ્ય સરકાર આ રાહત પેકેજ માં મુસ્લિમ ધાર્મિક સ્થળો નો પણ સમાવેશ કરે તેવી માંગ કરી હતી કારણ કે લોક ડાઉનને પગલે મસ્જીદ મદરેસાઓ અને દરગાહ શરીફ પણ બંદ કરી દેવામાં આવતા મુસ્લિમ ધાર્મિક સ્થળોનાં ધર્મગુરુઓ પણ સંકટ માં મુકાયા છે અને આર્થિક કટોકટી નો સામનો કરી રહ્યા હોય તેમને પણ ફિલગુડ નો અહેસાસ કરાવવો જરૂરી છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી રાહત પેકેજની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here