પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા ૯૦ થઈ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

આજે કોરોના સંક્રમણના નવા ૦૫ કેસો નોંધાયા

૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક ૯૦ થયો

કુલ કેસનો આંક ૩૮૪૩ થયો, કોરોનાને પછડાટ આપી ૩૬૧૭ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા ૦૫ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૮૪૩ થવા પામી છે. ૧૫ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી ૧૦૦થી નીચે ૯૦ થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી શહેરી વિસ્તારોમાંથી ૦૭ કેસ મળી આવ્યા છે. આ તમામ કેસો ગોધરામાંથી મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૧૦ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ૦૨ કેસ મળી આવ્યા છે, જે પૈકી કાલોલ ગ્રામ્યમાંથી ૦૧ અને ગોધરા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૩૩ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૬૧૭ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૯૦ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here