પંચમહાલ કોવિડ-૧૯ અપડેટ : જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૩૨ કેસ નોંધાયા…

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

૩૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૯૩

કુલ કેસનો આંક ૧૨૨૮ થયો, કુલ ૭૬૫ વ્યક્તિઓ કોરોનાને માત આપી

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૩૨ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૨૨૮ એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૭ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૧૩, હાલોલમાંથી ૧૦ અને શહેરામાંથી ૦૪ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૯૬૧ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૨, શહેરા ગ્રામ્યમાંથી ૧, ઘોઘમ્બામાંથી ૧ અને મોરવા હડફમાંથી ૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૨૬૭ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૩૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૭૬૫ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૯૩ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here