રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
150 જેટલાં લોકો એ કોરોના વિરોધી રસી મુકાવી
કોરોના ની મહામારી સામે રક્ષણ માટે એક માત્ર ઉપાય કોરોના વિરોધી રસી મુકાવી સુરક્ષિત થવાનુ હોય ને , તેમજ વેકસીનેશન કરાવવા લોકો મા ગેરસમજ પણ ફેલાયેલ હોય આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા મા મુસ્લિમ ધર્મ ગુરુઓના પ્રયાસો ને તેમજ રાજકીય આગેવાનો ના પ્રયાસો ને ભારે સફળતા મળી રહી છે અને લોકો વેકસીનેશન કરાવવામાટે ઉમટતા જોવા મળી રહ્યા છે.
રાજપીપળા ના કસ્બાવાડ મુસ્લિમ જમાત ખાના મા વેકસીનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા આરોગ્ય વિભાગ ના સલમાબેન તેમજ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના નગરસેવક ઇસ્માઇલભાઈ મનસુરી ની સમજાવટ થી આજરોજ જમાતખાના મા મુસ્લિમ સમાજ ના 150 જેટલા લોકો એ કોરોના વિરોધી રસી મુકાવી હતી.