જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા અને પોલીકેબ ઇન્ડિયા લી હાલોલના સયુંકત ઉપક્રમે દિવ્યાંગ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલ અને પોલીકેબ ઇન્ડિયા લી હાલોલના સયુંકત ઉપક્રમે તારીખ:-૦૨/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે દિવ્યાંગ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર પોલીકેબ ઇન્ડિયા લી હાલોલ યુનિટ -૦૪, પ્લોટ નંબર ૬૭-૭૨, હાલોલ-વડોદરા હાઈવે, ગામ.નુરપુરા. તા.હાલોલ. જિ.પંચમહાલ ખાતે આયોજન કરેલ છે. જેમાં ૪૦ ટકા કે તેથી વધુ તથા ૧૮ થી ૩૨ વય ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન, તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્વારા સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યાઓ માટે ડીપ્લોમા અને ગ્રેજ્યુએટ અભ્યાસ કરેલ દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીની તક આપવામાં આવશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા તથા ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે જિલ્લા રોજગાર અધિકારીશ્રી પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here