નર્મદા જીલ્લામા છેલ્લા 10 દિવસોથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આજ પર્યંત જીલ્લા મા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક 4290 અને મૃત્યુ આંક 153 ઉપર સ્થિર

નર્મદા જીલ્લા વાસીઓ મા છેલ્લા 10 દિવસ થી એક પણ પોઝિટિવ કેસ કયાંય નોંધાયો નથી . જીલ્લા ભર મા આજ પરિસ્થિતિ યથાવત રહી તો કોરોના મુકત નિતી નિયમો અનુસાર સમગ્ર જીલ્લા ને ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં.

આજ પર્યંત જીલ્લા મા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક 4290 ઉપર પહોંચ્યો છે જે છેલ્લા 10 દિવસ થી સ્થિર જ છે , જીલ્લા મા કુલ 153 લોકો કોરોના ની ઝપેટમાં આવતા મોતને ભેટ્યા છે.

આજે RTPCR ટેસ્ટમાં 493 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 335 સહિત કુલ-828 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-103, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-32 અને કન્ફર્મ કોવિડ ડેથ-18 દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here