નસવાડી વણકરવાસ વિસ્તારમા એસ.પી ધર્મેન્દ્રશર્માએ લીધી મુલાકાત

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી વણકરવાસ વિસ્તારમા એસ.પી સાહેબે મુલાકાત લેતા ત્યાંના રહીશો ને પડતી મુશ્કેલીઓ વિશે પૂછવામાં આવ્યુ અને રહીશોએ પોતાની મુશ્કેલીઓ જણાવી હતી જેમકે પાણી ના પ્રશ્નો સાફ સફાઇ વિશે પૂછતા લોકોએ જણાવ્યુ કે વિધવા પેન્શન તથા વૃદ્ધા પેન્શન મા વધારો કરવા જણાવ્યુ હતુ ત્યાર બાદ મહિલાઓએ રોજગારી મળે તેવી રજુઆત કરી હતી અને વણકરવાસ વિસ્તારના રહીશોએ જણાવ્યુ કે આપણા વિસ્તાર એટલે કે નસવાડી તાલુકામા કોઈ ઉદ્યોગ ચાલુ કરવામા આવે તો આપણા તાલુકાના બે રોજગાર યુવાનો જે રોજગાર થી વંચિત છે તેવા યુવાનોને રોજગાર મળી રહે અને બે રોજગાર યુવાનોને રોજી મળી રહે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી અને હોમગાર્ડ મા આ વિસ્તારના કેટલા લોકો છે તેવુ પણ એસ.પી.સાહેબ દ્રારા પૂછવામાં આવ્યુ હતુ અને હવે તો લગભગ ત્રણસો રૂપિયા દિવસના થઈ ગયા છે તેવુ એસ.પી સાહેબ દ્રારા જણાવવામા આવ્યુ હતુ અને મુલાકાતના અંતે રિટાયર્ડ મામલતદર કનુભાઈ રોહિત દ્રારા આભાર વ્યકત કર્યો હતો જે નસવાડી ના રહેવાસી અને દલીત સમાજના વ્યક્તિ છે અને આ મુલાકાત દરમિયાન વણકરવાસ વિસ્તારની મહિલાઓ વડીલો તથા યુવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here