નસવાડીમા ઈદે મિલાદનું ઝુલુસ કાઢવામાં આવ્યું

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ઇસ્લામી હિજરી તા -12 રબિઉલ અવ્વલ ના દિવસે મુસ્લિમ સમુદાય દ્વારા સમગ્ર દુનિયાના અને દરેક સજીવ અને નિર્જીવ ના લીધે રહેમતુલ્લિલ આલમીન(કૃપાળુ) બનીને આવેલ તેમજ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસ્લમ નો જન્મ દિવસ હોય મુસ્લિમ સમુદાય દ્વારા આજના દિવસે સમગ્ર જગતમાં તેમની યાદમાં તમામ શહેરો અને નગરો ના રાજમાર્ગો પર મોટી શાનો શોકત સાથે જુલુસ કાઢી આ પર્વની ઉજવણી કરાઇ છે. જેને અનુરૂપ નસવાડીમાં પણ ઇદે મિલાદ નું ઝુલુસ નીકળતા મુસ્લિમ બિરાદરો માં ખુશી છલકતી જોવા મળી હતી સરકાર ફળિયા થી મેમણ કોલોની માં ઝુલુસ કાઢવામાં આવ્યું હતું અને મેમણ કોલોની માંથી ચાર રસ્તા લાવવામાં આવ્યું હતું ત્યાર બાદ આમરોલી ગામે ન્યાજ નું આયોજન કરવામાં આવ્યું હતું નસવાડી થી બિરાદરો આમરોલી ન્યાજ નો સવાબ લેવા માટે ગયા હતા અને ઘણી હર્ષો ઉલ્લાસ સાથે ઇદે મિલાદ નો તહેવાર મનાવવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here