શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તરફથી બદલીના આદેશો શહેરા તાલુકાના વહીવટીતંત્રમા કરવામાં આવ્યા છે.જેમાં શહેરાના મામલતદાર મેહુલકુમાર ભરવાડની બદલી કરવામા આવી છે.ડાંગ જીલ્લા ખાતે કલેકટર કચેરીઁમાં ચૂટણી શાખાના મામલતદાર તરીકે બદલી કરીને નિમણુંક કરવામા આવી છે.મેહુલકુમાર ભરવાડ દ્વારા પોતાના શહેરાના કાર્યકાળ દરમિયાન તેમને સારી એવી વહીવટી કામગીરી કરી હતી.જેમા સરકારી યોજનાનો વધુમા વધુ લોકોને લાભ મળે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા.શહેરા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજચોરી કરનારાઓ સામે પણ તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.શહેરા તાલૂકામાં આવેલી કેટલીક સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ઓછુ અનાજ આપવાની વ્યાપક બુમોને પગલે તેમને સ્થળ તપાસ કરીને દુકાનોના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી.આમ પોતાના શહેરા સેવાસદન ખાતેના મામલતદાર તરીકેના પદભાર સભાળ્યા બાદ તેમને સારી એવી વહીવટી કામગીરી બજાવી હતી.શહેરાના નવા મામલતદાર તરીકે દેવગઢ બારીયાના મામલતદાર પી.કે.ડામોરની નિમણૂક કરવામા આવી છે.