નર્મદા જીલ્લાના લોકોમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતતા કેળવવા નર્મદા પોલીસ તંત્ર ખડેપગે કટિબદ્ધ બની

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તેમજ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો આવે તેવા આશય સાથે નર્મદા જિલ્લા પોલીસ તંત્ર તથા ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક અંગે જનજાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ તકે પોલીસ વિભાગના જવાનોએ આમલેથા ખાતેથી પસાર થતા વાહનચાલકોને હેલમેટ પહેરવા, ટ્રાફિક નિયમનનું પાલન કરવા સહિત ટ્રાફિક સેન્સ અંગે માહિતગાર કર્યા હતા. વધુમાં નૂતન જ્યોતિ વિદ્યામંદીર આમલેથા ખાતે કાર્યક્રમ યોજીને શાળાના બાળકોને પણ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા કેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here