નર્મદા જીલ્લાના નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના 71 ગામોની 3100 હેક્ટર જમીનમા પાકને નુકશાન

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ખેડુતોને તાત્કાલીક વળતર સહિત ખેડુતોના દેવા અને પાક લોનના વ્યાજ માફ કરવાની ધારાસભ્ય પી. ડી. વસાવાની માંગ

ધારાસભ્ય પી ડી વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખી ખેડુતો ને આપદા માથી ઉગારવા કરી રજુઆત

આ વર્ષે થયેલ અતિભારે વરસાદ અને કરજણ ડેમ તથા નર્મદા ડેમમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડતા નર્મદા તેમજ કરજણ નદીના કિનારે આવેલા ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડુતોના ઉભા પાકમાં થયેલ નુકશાનનું તાત્કાલિક વળતર ચુકવવા સહિત ખેડુતોના દેવા અને પાક લોનના વ્યાજ માફ કરવાની માંગણી સાથે રાજપીપળા ના ધારાસભ્ય પી ડી વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડુતોને આપદા માથી ઉગારવાની રજુઆત કરી છે.

નર્મદા ડેમ તેમજ કરજણ ડેમમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડાતા નર્મદા,કરજણ નદીના કાંઠા વિસ્તારમાં આવેલ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર, નાંદોદ, અને તિલકવાડા તાલુકાના નીચે જણાવેલ ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા કપાસ, કેળા,શેરડી, દિવેલા,બાજરી, જુવાર,તુવર,પપૈયા જેવા પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું છે. જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. સદર ગામોના ખેડુતોનું જીવન ખેતી પર જ નિરભર છે. બીજી કોઈ આવક કે ધંધો ન હોવાને કારણે તેઓની કફોડી હાલત છે. ખેડુતોને આવી મુશ્કેલી માંથી ઉગારવા પાક નુકશાની અંગે તાત્કાલિક સર્વે કરાવી ખેડુતોને તાત્કાલિક વળતર ચુકવવાની જોગવાઈ કરાવવી જોઈએ. ખેડુતોને ખેતી વિષયક દેવું માફ કરવું જોઈએ. પાક લોન પરનું વ્યાજ પણ માફ કરવુ જોઈએ. એવી ખેડુતોની તેમજ અને પોતાની પણ માંગણી હોવાનું રાજપીપળા ના ધારાસભ્ય પી ડી વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખી ને જણાવ્યું છે.

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના 45 ગામડાના ખેડુતોની 2325 હેક્ટર જમીન મા ખેતીમાં નુકશાન થયું છે, તિલકવાડા તાલુકા ના 18 ગામના ખેડુતો ની 500 હેક્ટર જમીનમા પાકને ભારે નુકસાન તેમજ ગરુડૈશવર તાલુકા ના 8 ગામ ના ખેડુતો ને વિયર ડેમ ના લીધે 277 હેક્ટર જમીન મા પાક ને ભારે નુકસાન થતા ખેડુતો પાયમાલી ની કગાર ઉપર આવેલ છે. જેથી ખેડુતો ને તાત્કાલીક વળતર સહાય ની માંગ મુખ્યમંત્રી ને પત્ર લખી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here