તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ
હાલ તિલકવાડાં નગરમાં ખેડૂત સહાય કેન્દ્ર ચલાવવામાં આવે છે તિલકવાડાં નગરમાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર નું મકાન .ઓફીસ.તથા ગોડાઉન તિલકવાડાં ગ્રામ પંચાયત દ્વારા ભાડે થી આપવામાં આવ્યું હતું પરંતુ જી.એન.એફ.સી.નર્મદા ખેડૂત સહાય દ્વારા આ ઓફીસ તથા ગોડાઉન બંધ કરવાની માંગ કરવામાં આવી છે જેથી તાલુકાના ખેડૂતો માં ભારે નિરાશા જોવા મળી રહી છે.
જો હાલ આ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર નું મકાન.ઓફીસ.તથા ગોડાઉન બંધ થાય તો તાલુકાના ખેડૂતો ને ચાલુ વર્ષે જે ખાતર ના પુરવઠા ની ઘટ પડતા તાલુકાના ખેડૂતો ને વહેલી સવારના લાઈન માં ઉભા રહેવા છતાં ખાતર નહિ મળવાથી ઘણી તકલીફ નો સામનો કરવો પડ્યો હતો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા જો હાલ આ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર નું મકાન.ઓફીસ.અને ગોડાઉન બંધ કરવામાં આવે તો આવતા વર્ષો માં ફરી આ પરિસ્થિતિ ઉભી થઇ શકે છે જેથી આ જી.એન.એફ.સી.લી. નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર દ્વારા આ ઓફીસ તથા ગોડાઉન બંધ નહિ કરવામાં આવે અને હાલ તિલકવાડાં નગરમાજ આ સહાય કેન્દ્ર ચાલુ રહે અને ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં ખાતર નું વિતરણ થાઈ જેથી ખેડૂતો ને ખાતર ની અછત નો સામનો ના કરવો પડે તે માટે તિલકવાડાં નગરમાં ખેડૂત સહાય કેન્દ્ર ચાલુ રાખવામાં આવે તેવી તિલકવાડાં તાલુકાના ખેડૂતોની માંગ છે.