નર્મદા જીલ્લાના દેડિયાપાડાના નવાગામ ખાતે ખેતરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આધેડે આત્મહત્યા કરતા ચકચાર

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામ ખાતે ખેતરમાં ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાઈ એક આધેડ વયની વયકતિએ આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.

બનાવની વિગત અનુસાર ગતરોજ દેડિયાપાડા તાલુકાના નવાગામ ખાતે રહેતા રાજેશ ઝવેરભાઈ વસાવા ઉ.વર્ષ. 40 નાઓની લાશ તેના પોતાના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમા મળી આવી હતી, ખેતરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોય ને સમગ્ર વિસ્તારમા ભારે ચકચાર મચી હતી.

આ મામલે મૃતકના ભાઈ અનિલભાઈ વસાવાએ દેડિયાપાડા પોલીસ મથકમાં પોતાના ભાઈએ ગળે દોરડુ બાંધી ઝાડ ઉપર લટકી કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી જેથી પોલીસ કુમક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જયાં સ્થળ તપાસ આદરી મૃતકની લાશનું પી.એમ. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here