પંચમહાલ જિલ્લાના વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટમાંથી મુક્તિ અપાઈ

હાલોલ નગરપાલિકાના ૪, હાલોલ તાલુકાના ૧ અને કાલોલ નગરપાલિકાના ૧ વિસ્તારોને મુક્તિ અપાઈ

માહિતી બ્યુરો, ગોધરા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકાના યોગીનગર સોસાયટી વિસ્તાર, રાણાવાસ, ગુરૂકૃપા સોસાયટી, લકુલીશનગર તેમજ હાલોલ તાલુકાના રામેશરા ગામમાં મેઈન બજાર ફળિયા અને કાલોલ નગરપાલિકામાં ભાગ્યોદય સોસાયટી વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સાથે જ આ વિસ્તારોના ૭૮ ઘરોના ૨૧૧ વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈનના નિયંત્રણોથી મુક્ત થયા છે. હાલોલ નગરપાલિકાના રાણાવાસમાં ૦૪/૦૭/૨૦૨૦ના રોજ, કાલોલ નગરપાલિકાના ભાગ્યોદય સોસાયટી વિસ્તારમાં ૦૬/૦૭/૨૦૨૦ના રોજ, હાલોલના ગુરૂકૃપા સોસાયટી, લકુલીશનગર અને રામેશરાના મેઈન બજાર ફળિયામાં ૦૭/૦૭/૨૦૨૦ના રોજ છેલ્લો કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યો હતો. ત્યારબાદ ૨૮ દિવસ સુધી કોઈ કોરોના પોઝિટીવ કેસ ન મળતા આ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ઈનના નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે. જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૨૨૪ સક્રિય કલસ્ટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here