રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
ફરિતયાદી ને લોહિ લુહાણ કરી જાન થી મારી નાખવાની ધમકી અપાઇ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડિત ગામમાં પત્ની સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી પતિદેવ સહિત તેના ભાઈ એ ભેગા મળી એક ઈસમ ને માર મારતાં પોલીસ મથક મા ફરિયાદ નોંધાઈ હોવાનુ જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર જગદીશભાઇ ગુલાભાઇ વસાવા, રહે.ગાડીત નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેમના ગામમાં નવરાત્રીનું આયોજન કરેલ જે નવરાત્રીમાં તેઓ આરતી પુરી કરી પરત પોતાના ઘરે જવા નિકળેલ તે વખતે(૧) સુખદેવભાઇ અમૃતભાઇ વસાવા નાઓની પત્નિ ક્યાંક જતી રહેલ હોય જેથી આ કામના ફરીયાદી ને સુખદેવ ભાઇ ની પત્ની સાથે આડા સબંધ હોવાનો શક વહેમ રાખી આ જગદીશભાઈ પત્ની ને ક્યાંક મુકી આવેલ છે તેમ કહી ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા આરોપી નિમેષભાઇ અમૃતભાઇ વસાવા નાએ પણ ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને સુખદેવ ભાઇ એ વિલાયતી નળીયું ઉઠાવી જગદીશભાઈ ને કપાળના ભાગે મારી દેતા લોહી નીકળ્યું હતું તથા હાથની પહેલી આંગણીમાં ઇજા પહોંચાડી હોય રાજપીપળા પોલીસે બંને ભાઈઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.