નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષકોની પડતર માંગણી બાબતે નર્મદા કલેકટરને આવેદનપત્ર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ  :-

હવે શિક્ષકો દ્વારા પોતાની તકલીફો વિધાર્થીઓ ના વાલીઓ સમક્ષ રજુ કરાશે – સરકાર દ્વારા શિક્ષકો પાસે ઈતર પ્રવૃતિઓ કરાવતા બાળકો ના પરિણામો પર અસર

શાળાઓ મા શિક્ષ્ણ સિવાય ની અન્ય પ્રવુતિઓ નો શિક્ષકો દ્વારા બહિષ્કાર

નર્મદા જિલ્લા શિક્ષણ સંઘ સંકલન સમિતિ દ્વારા આજરોજ નર્મદા જિલ્લા કલેકટરને પોતાની પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર આપ્યું હતું, અને શિક્ષકો આ સરકાર સામે લડી લેવાનું મન બનાવી શાળાઓ મા સિક્ષણ સિવાય ની તેઓ પાસે કરાવવામાં આવતી ઈતર પ્રવૃતિઓ બંધ કરવાની અને વાલીઓ ને આવી પ્રવુતિઓ થી બાળકો નાં શિક્ષણ પર અસર પડતી હોવાની જાણ કરવામા આવશે ની ચિમકી આવેદન પત્ર માં આપવામા આવી છે.

શિક્ષકો એ આપેલ આવેદન પત્ર માં જનાવ્યા અનુસાર
તેઓની માંગણીયો ઘણા લાંબા સમયથી સરકાર પુર્ણ કરતી નથી જેમાં
તારીખ 1/4/ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષક કર્મચારીઓની જુની પેન્શન યોજના લાગુ પાડતો પરિપત્ર કરવો,
અનુદાનીત મઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવી વર્ગ આધારિત ગ્રાન્ટ સુધારો કરી પરીપત્ર કરવો
આચાર્યને તારીખ 5/1/ 1965 ના પરિપત્ર મુજબ એકnઈજાફો આપવા બાબતનો પરીપત્ર કરવો,
બિન શૈક્ષણિક સંવર્ગ ની જગ્યાઓ તારીખ 16/8/2017 ના ઠરાવથી રદ કરેલ છે તે પુનજીવિત કરી આ ઠરાવ તારીખ થી આજ દિન સુધી ખાલી પડેલ જગ્યા ઉપર બિન શૈક્ષણિક વર્ગ 3 (કલાર્ક ) વર્ગ 4 (પટાવાળા) ઓની ખાલી જગ્યાઓ ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રોમોશન આપવા તથા ખાતાકીય પરીક્ષા લેવાના પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા માંથી મુક્તિ આપવી,
વિર્ઘત પેન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તિ સમય 300 રજા રોકડના રૂપાંતર આપવા બાબતે થયેલ પરિપત્રની સ્પષ્ટતા કરી અમલ કરવો,
અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષક કર્મચારીઓની ભરતી કરવી,
બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી પડેલી જગ્યા ઉપર ક્લાર્ક સેવકની ભરતી કરેલ નથી તે જગ્યાઓમાં ખાતાકીય પરીક્ષા લેવાય તે પહેલાના બઢતી મેળવવા પત્ર વર્ક 3 કલાક વર્ગ 4 પટાવાળા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી બઢતી આપવી,
જુના શિક્ષકની ભરતી કરવી અને આપે સ્વીકાર્યા મુજબ કોર્ટમાંથી એલ,પી,એ પરત ખેંચવી,
સાતમા પગાર પંચના તફાવતનો પાંચમો હપ્તો તાકીદ આપો

એફઆરસી દ્વારા નિયત કરવામાં આવેલ ફીના સ્લેબ કોઈપણ ફેરફાર છેલ્લા છ વર્ષથી કરવામાં આવેલ નથી તાજેતરમાં રક્ષા શક્તિ સ્કૂલની ફીનોરેશિયો નક્કી કરવામાં આવેલ છે તે મુજબ માધ્યમિક રૂપિયા 2200/- માધ્યમિક માં 33000 /- અને ઉચ્ચતર માધ્યમિક 40000 /- લઘુમતથી નક્કી કરવામાં આવેલ અને દર વર્ષે સાત ટકા વધારો કરવાની મંજૂરી આપવી

આ તમામ માંગણીઓ ને લઈને નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા નર્મદા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે,અને આવેદન પત્ર માં ચિમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં શિક્ષકો તેમને શિક્ષણ સિવાય ની અન્ય પ્રવુતિઓ સોપાય છે તેનો બહિષ્કાર કરશે, વાલીઓ ને શાળા મા બોલાવી આવી પ્રવુતિઓ થી વિથ્યાર્થીઓ નાં શિક્ષણ બગાડતા પરિણામો ઉપર અસર થાય છે થી માહીતગાર કરસે, આમ શિકસકો હવે સરકાર સામે લડી લેવાનું મન બનાવી બહાર આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here