ધર્મ રક્ષા માટેની નહિ મુસ્લિમોને ટાર્ગેટ કરવાની રેલી- ધારાસભ્ય ચૈતર વસાવા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે આજરોજ બે કોમો વચ્ચે ફાટી નીકળેલા તોફાનોમાં ધારાસભ્ય ચેતર વસાવા એ ગંભીર પ્રકારનો આરોપ લગાવ્યો છે ધારાસભ્ય ચેતર વસાવાને સેલંબામાં તોફાનો થયા ની જાણ થતા તેઓ ત્વરિતજ સેલંબા દોડી ગયા હતા અને ફરજ પર ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાટીલ સાથે વાતચીત કરી હતી, અને એ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું હતું કે ધર્મ રક્ષા ની રેલી નહીં પરંતુ મુસ્લિમોને ટાર્ગેટ બનાવવા માટે રેલી કાઢવામાં આવી, આ રેલી અંગે કોઈ પણ જાતની પરવાનગી અપાય કે કેમ તે અંગે ડેડીયાપાડા ના પ્રાંત અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા એ વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે કોઈપણ જાતની પરવાનગી રેલી કાઢવા માટે આપવામાં આવી નથી !!! ધારાસભ્ય ચૈતર વસાવા એ સોશિયલ મીડિયામાં આ રેલી અંગે સવારે ધમાલો થવાની છે એ બાબતને પોતાને શંકા જતાં સાગબારાના પીએસઆઇ નો પણ ધ્યાન દોર્યું હતું અને ટેલિફોનિક ચર્ચા તેઓની સાથે કરી હતી, ધારાસભ્ય ચેતર વસાવા એ પોલીસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જે ગુનેગારો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને નિર્દોષોને રંજાળવામાં ન આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here