જાંબુઘોડા તાલુકા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની નિયુક્તિ જાહેર કરવામાં આવી

હાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન ‘-

આજ રોજ મહારાણા પ્રતાપની જન્મ જયંતીના દિવસે જાંબુઘોડા તાલુકા વિશ્રામ ગૃહ ખાતે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં કાર્યકરો સાથે બેઠક રાખવામાં આવી. બેઠક ની શરૂઆત શૂરવીર મહારાણા પ્રતાપની વિરતા અને વિશેષતાના પ્રસંગોને યાદ કરી અને કાર્યકરોને શુભેચ્છા આપી કરવામાં આવી. આજની બેઠકમાં તાલુકાના વિવિધ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી. જેમાં જિલ્લા સમિતિમાં મહામંત્રી તરીકે શ્રી અર્જુનસિંહ બારીઆ (વકીલ), સહ સંગઠન મંત્રી તરીકે માજી સરપંચ શ્રી વખતસિંહ બારીઆ ની નિયુક્તિ કરવામાં આવી.

તાલુકા સંગઠનમાં તાલુકા પ્રમુખ તરીકે શ્રી જયેશભાઈ બારીઆ (LLB), ઉપ પ્રમુખ તરીકે હાર્દિકભાઈ, ભીખાભાઈ તડવી, યોગેશભાઈ તથા મહામંત્રી તરીકે સંદિપભાઇ બારીઆ, સંગઠન મંત્રી તરીકે શ્રી સંજયભાઈ બારીઆની નિમણુંક કરવામાં આવી.
તાલુકા મહિલા પ્રમુખ તરીકે શુભંગીનીબેન તથા યુવા પ્રમુખ તરીકે શ્રી નવનીતભાઈ બારીઆ અને મહામંત્રી તરીકે કમલેશભાઇ તથા એસટી સેલ પ્રમુખ તરીકે રાઠવા ગણપતભાઇ અને ઉપ પ્રમુખ તરીકે નાયક જગદીશભાઈ ની નિમણુંક કરવામાં આવી. જ્યારે બક્ષીપંચ સેલ પ્રમુખ તરીકે ભાનુભાઇ બારીઆની નિયુક્તિ કરવામાં આવી.

સૌ નવ નિયુક્ત પદાધિકારીઓને ઉપસ્થિત પાર્ટીના આગેવાનોએ ફુલહારથી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌ નવ નિયુક્ત પદાધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, રાજકીય વાતાવરણમાં અને જાહેર જીવનમાં આવ્યા બાદ સંયમિત જીવન જરૂરી છે. આપણું વાણી વર્તન, વ્યવહાર યોગ્ય રહેવું જરૂરી એમ જણાવતા વધું ચેતવણી બાબતે કહ્યું હતું કે, આજના રાજકીય વાતાવરણમાં નિખાલસતા અને ખેલદિલી જોવા મળતી નથી આમ આદમી પાર્ટી માં લોકો જોડાય છે અને સંગઠન મજબુત બની રહ્યું છે ત્યારે અન્ય પક્ષો વિપક્ષોના પેટમાં તેલ રેડાય છે. એટલે આજના રાજકીય જીવનમાં સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સંયમ અને વિવેક રાખી આપણે સમાજસેવા અને લોક સેવાના કામો કરવા.

લોકોની સમસ્યાઓની રજૂઆત ની કામગીરી કરવી, લોક સંપર્કમાં રહેવું, નિયમિત રહેવું એ સાચા સમાજસેવકનું કામ છે અને આપણે એજ કરવાનું છે. એમ કહી જાંબુઘોડા તાલુકામાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન બનાવવા સૌને હાકલ કરી હતી. સાથે સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા લોકોમાં વધતી જોવા મળી રહી છે અને શિક્ષિત અને યુવા વર્ગ પાર્ટીમાં જોડાય રહ્યા છે તેનું કારણ દિલ્હીમાં કેજરીવાલજી અને ગુજરાતમાં ગોપાલભાઈ ઇટાલીયાજીની કામગીરી છે.

આજની આ બેઠકમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલભાઇ ચૌહાણ, ઘોઘંબા તાલુકાના રાજકીય આગેવાન અર્જુનસિંહ બારીઆ, ઘમિરસિહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here