પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જાંબુઘોડા તાલુકા પૂર્વ પ્રમુખનું અવસાન થતાં પરિવારજનો સાથે મુલાકાત કરી

હાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કોરોના મહામારીમાં દેશ અને રાજ્યમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે જેનો આઘાત આજે પરિવારજનો ઉપર જોવા મળી રહ્યો છે. ત્યારે જાંબુઘોડા આમ આદમી પાર્ટીના તત્કાલીન પ્રમુખ અરવિંદભાઈ બારીઆ નું પણ કોરોના મહામારીમાં અવસાન થતાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં દુ:ખ ની લાગણી જોવા મળી.અને જિલ્લાના સૌ કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે આપણે સૌ અરવિંદભાઇના બાળકને અભ્યાસ માટે કંઈક મદદ કરવી જોઈએ. અને એ મુજબ કાર્યકરોએ યથા શક્તિ મદદ કરતાં આજ રોજ જાંબુઘોડા તાલુકાના ઉઢવણ ગામે સ્વ અરવિંદભાઇ ના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અને જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના હસ્તે તેમના પુત્રને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખે આશ્વાસન અને સહાનુભૂતિ આપી હતી અને વિતિ ગયેલા સમયને ભૂલી, મજબૂત મનોબળ રાખી, અભ્યાસમાં ધ્યાન રાખી આગળ વધવાની પ્રેરણા આપી આર્શીવાદ આપ્યા હતા અને ભવિષ્યમાં અભ્યાસ બાબતે કોઈ જરૂર પડે તો જણાવવાનું કહ્યું હતું.
જિલ્લા પ્રમુખ સાથે, મહામંત્રી, સંગઠન મંત્રી, સહ સંગઠન મંત્રી, તાલુકા પ્રમુખ, તાલુકા યુવા પ્રમુખ સહિત ૨૦ જેટલા કાર્યકરોએ મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here