નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
“ગાય ના બચ્ચાનો શિકાર કરી દીપડો ફરાર”
નસવાડી તાલુકાના જામ્બા ગામમા ગાયના બચ્ચા નો શિકાર કાર્યો.જે લગભગ રાત્રિના બે વગ્યા ના સુમારે આ બનાવ બન્યો હતો જ્યારે ગાયના બચ્ચા નો અવાજ આવતા મકાન માલિક જાગી જતા દીપડો ભાગી છૂટ્યો હતો અને અગાવ બોડેલી તાલુકા માથી હજુ દીપડાનો ડર નીકળ્યો નથી ત્યારે નસવાડી ના જામ્બા ગામમા દીપડાએ શિકાર કર્યાનો બનાવ બન્યોછે અને ગામ લોકો ને આ બનાવ બન્યા પછી દહેશત મા આવી ગયા છે અને હાલ તો ગ્રામજનો ચિંતામા છે કે હવે શુ થશે કરણ કે ગામનાં મોટાભાગના લોકો ખેત મજૂરી પર નિર્ભર કરેછે અને મજૂરી માટે બહાર નીકળવુ જ પડે પરંતું આવો બનાવ બન્યો છે તો લોકો ને દીપડા નો ડર સતાવી રહ્યો છે અને આ ખૂંખાર દીપડાએ ગાયના બચ્ચા નો શિકાર કર્યો છે હજુ એ ગાયનુ વાછરડુ જીવન મરણ વચ્ચે જુલી રહ્યુ છે આ બનાવ ભીલ રમેશભાઈ ચુનીલાલ નામના ખેડૂતના ઘરે બનેલ છે અને આ દીપડા ના શિકાર ને લઈ ગામ આખુ ડર ના માહોલ મા છે.