ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાકરાંટા :-
સ્વતંત્રતા દિવસની સૌને શુભેચ્છા, દેશમાં સ્થિતિ એવી ઉભી થઈ છે કે વર્ષમાં બે જ દિવસ સ્વતંત્ર હોવાનો અનુભવ થાય છે: દિનેશ બારીઆ
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘંબા અને મોરવા હડફ તાલુકામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ઘોઘંબા તાલુકા કાર્યાલય પર જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના હસ્તે અને મોરવા હડફ તાલુકામાં તાલુકા ઉપપ્રમુખ બલદેવ પ્રસાદ દુબેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
ઘોઘંબા ધ્વજવંદન કરતાં જિલ્લા પ્રમુખ આઝાદીના સમય પહેલાંની સ્થિતિ અને આજે આઝાદી પછીના ૭૫ વર્ષની સ્થિતિની સરખામણી કરી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં બલીદાન આપનારા સેનાનીઓ અને આઝાદી બાદ દેશની રક્ષા કરતાં શહીદ થયેલા વીર શહીદોને યાદ કર્યા હતા.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઝોન યુવા પ્રમુખ ભરતભાઇ રાઠવા, ગોધરા તાલુકા પ્રમુખ મનંતભાઇ પટેલ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ સહિતના કાર્યકરોએ ગોધરા તાલુકાના ઓરવાડા ગામના વીર શહીદ સુનિલ પટેલના સ્મારક પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.