નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
ભાથીજીના ભક્તો ડુરચા ગામેથી ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે જવારા લઇ રવાના થયા હતા જેમા નસવાડી સરકાર ફળીયા ચાર રસ્તા ખાતે રથ મા આવેલ ભક્તોને શ્રીજી યુવક મંડળ ના યુવાનો દ્રારા ચા નાસ્તો કરાવવામાં આવ્યો હતો જે ભક્તો પોતાની આસ્થા સાથે પગપાળા ચાલતા નીકળ્યા હતા જેમા રાત્રી રોકાણ હરીપુરા ગામે રામાપીર ના મંદિરે ભોજન નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ભક્તો ભોજન કરી રાત્રી રોકાણ કર્યું હતુ અને મળસ્કે ત્રણ થી ચાર વાગ્યા ના સુમારે નીકળી જાંબુઘોડા ગામે રાત્રી રોકાણ કરી ત્યાંથી સવારે વહેલા નીકળી પાવાગઢ રોકાણ કરશે ત્યારબાદ ત્યાંથી નીકળી દેરોલ ગામે રાત્રે રોકાણ કરશે ત્યારબાદ શેવાલિયા રાત્રે રોકાણ કરશે અને છેલ્લું રોકાણ રહેશે અને ત્યાંથી છેલ્લે ફાગવેલ મુકામે સંઘ પહોંચશે અને ત્યાં પૂજા અર્ચના પ્રાર્થના કરી જવારા વળવામાં આવશે અને ત્યાં આરતી કરી પ્રસાદી લઈ પરત ઘરે ટ્રેકટર મારફતે આવશે તેમ ભાવેશભાઈ મણીભાઈ તડવી એ જણાવ્યું હતું.