અલીપુરા મદ્રેસાના બાળકોના સાલાના જલસાનું આયોજન કરાયું અને મદ્રેસામાં ઈલ્મની તાલીમ લેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ના અલીપુરા નવીનગરી ખાતે મદ્રાસાએ ગુલશન એ મદીના વાર્ષિક જલસા નું આયોજન કરવામાં આવ્યું હતું મદ્રેસામાં પઠતા બાળકોને ઇનામ આપવમાં આવ્યું.
બોડેલીના અલીપુરા નવીનગરી વિસ્તારમાં આવેલ મદ્રેસા ગુલશન એ મદીના માં પઠતા છોકરાઓ અને છોકરીઓનો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બોડેલીના અલીપુરા ખાતે આવેલ સુન્ની મદ્રેસામાં વાર્ષિક ઇનામી જલસા નું આયોજન કરવામાં આવ્યું હતું વાર્ષિક જલસા ની શરૂઆત કુરાને શરીફની તીલાવત થી કરવામાં આવી હતી ત્યારબાદ નાત શરીફ પડવામાં આવી હતી નાના બાળકોએ પણ નાત શરીફ પડી હતી અને કુરાન શરીફની તિલાવત કરી હતી સાથે નાના બાળકો નો ઉત્સાહ વધે તે હેતુથી તેમને ઇનામ આપવામાં આવ્યું હતું. આ જલસામાં મદરેસાના મૌલાના તથા ઉલમાઓ તથા મદ્રેસા ના ટ્રસ્ટી અને ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ હાજરી આપી હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ જલસામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો.
મદ્રાસાએ ગુલશન એ મદીના માં વાર્ષિક જલસા નું આયોજન દર વર્ષે થતું હોય છે અને મદરેસાના ટ્રસ્ટીઓ ની ખૂબ સારી કામગીરી જોવા મળી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here