સંસ્કારતીર્થ વિદ્યાપીઠ – દુગારી M રક્તદાન શિબિર-૨૦૨૧ ” તારાપુર તાલુકાના ભાલપંથકમાં દુગારી ગામ ખાતે મહા રકતદાન કેમ્પ યોજાયો

તારાપુર,(આણંદ) મો. રફીક દિવાન :-

સંસ્કારતીર્થ વિદ્યાપીઠ- દુગારી “ શાળામાં આજ રોજ તા . ૨૮/૧૦/૨૦૨૧ ને ગુરુવારે B.J.P જીલ્લા પ્રમુખશ્રી વિપુલભાઈ વિનુભાઈ પટેલ ના જન્મ દિવસ નિમિત્તે રોટરી કલબ ઓફ તારાપુર , ધી તારાપુર રેડક્રોસ સોસાયટી તારાપુર તાલુકા અને EBD group (ઈમરજન્સી બલડ ડોનેટ ગ્રુપ) તારાપુર ના સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ માં 24 યુનિટ રક્ત નું દાન મળેલ હતું . આ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ તારાપુર ના પ્રમુખશ્રી રો . અરવિંદભાઈ પી . પટેલ , રો.અરવિંદભાઈ પી . ત્રિવેદી , રો.બંસીલાલ શાહ , રો.સુભાષભાઈ પટેલ , રો.ડાહ્યાભાઈ પટેલ , રો.ગોવિંદભાઈ પી . પનારા સર , કેળવણી મંડળ તારાપુર ના પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ આર . પટેલ , ઘી રેડ ક્રોસ સોસાયટી તારાપુર ખાતેથી ડૉ . આકાશભાઇ પ્રજાપતિ , ગીરીશભાઇ પરમાર , કિંજલબેન પટેલ અને તેમનો અન્ય સ્ટાફ તથા ઈમરજન્સી બલડ ડોનેટ ગ્રુપ ના સંચાલન વતી મહમંદ રફિક જે દિવાન કિસ્મત,હિતેશ ભાઈ મકવાણા ખાસ અમારા આ શિબિરમાં હાજર રહ્યા હતા . જેમાં અમારી ઉપરોક્ત શાળાના મે.ટ્રસ્ટીશ્રી પ્રફુલભાઇ પટેલ , જો.મે.ટ્રસ્ટીશ્રી જગદિશભાઇ પટેલ , ટ્રસ્ટીશ્રી સુભાષભાઇ પટેલ શાળાના આચાર્યશ્રી , શિક્ષકમિત્રો , ક્લાર્કશ્રી , સેવકમિત્રો , અમારી શાળાના બસના પાઇલોટભાઇઓ અને દુગારી , ચિતરવાડા ગામ ના ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું . અને સાથે ધોરણ ૬ થી ૧૨ ના બાળકોનું ‘ બ્લડ ટેસ્ટીંગ ’ કરવામાં આવ્યુ હતુ .આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન રો . ડૉ ગોવિંદભાઈ પી પનારા સર ના માર્ગદર્શન હેઠળ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો . અમારી શાળામાં પધારેલ મહેમાનશ્રી અને બ્લડ ડોનેટ કરવા આવેલ તમામ નો સંસ્કારતીર્થ શાળા પરીવાર આભાર માને છે .. M “ રક્તદાન એજ મહાદાન “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here