તુર્કીએ ગ્રીસની આયા સોફિયા મસ્જિદ પરની પ્રતિક્રિયાને વખોડી કાઢી

ફાઇલ ફોટો તુર્કીના રાષ્ટ્રપતિ રઝબ તૈયબ એરદોગનના ટ્વીટર અકાઉન્ટમાંથી

ગ્રીસે આયા સોફિયા ગ્રાન્ડ મસ્જિદને પૂજા કરવા માટે ફરીથી ખોલવા અંગેની પ્રતિક્રિયાને શનિવારે વખોડી કાઢી હતી.

જેના પ્રતિસાડમાં તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આયા સોફિયા મસ્જિદની પૂજા અર્ચના કરવાના ઉદ્ઘાટનના પ્રતિક્રિયાના બહાને ગ્રીસે ફરીથી ઇસ્લામ અને તુર્કી પ્રત્યેની દુશ્મનાવટ જાહેર કરી છે.

ગ્રીસ સરકાર અને સંસદના સભ્યોએ તેમના વિરોધપૂર્ણ નિવેદનો અને થેસ્સાલોનિકીમાં આપણા ભવ્ય ધ્વજને સળગાવવા દેવાની મંજૂરી આપવા બદલ અમે તેની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.

તુર્કીએ ગ્રીસને “યુરોપના બગડેલા બાળકો” નું સંબોધન આપ્યું અને વધુમાં કહ્યું કે, જે આયા સોફિયા મસ્જિદમાં શરૂ કરેલી પ્રાર્થનાઓ જોઈ શકતા નથી તેઓએ પોતાને ફરી એકવાર “ભ્રાંતિ” હોવાનું બતાવ્યું છે, એમ નિવેદનમાં ઉમેર્યું હતું.

આ જાતિવાદીઓ કે જેમણે તુર્કીના ધ્વજ સળગાવી દીધા હતો, જેમણે ઇતિહાસમાંથી પોતાનો પાઠ શીખ્યા નથી, જેણે આપણા ભવ્ય ધ્વજાનો અનાદર કર્યો છે, તેઓએ તેમના એજ્યિયન ભાગ્યને યાદ રાખવું જોઈએ. ગ્રીસને બાયઝેન્ટાઇન સ્વપ્નમાંથી જાગવું જોઈએ, તે હજુ સુધી જાગી શક્યું નથી. 567 વર્ષ જૂની મુંઝવણમાંથી છુટકારો મેળવવો જોઈએ, એવું મંત્રાલયે જણાવ્યું હતું.

આયા સોફિયાને તુર્કીની ઇચ્છા મુજબની મસ્જિદ તરીકે પ્રાર્થના માટે ખોલવામાં આવી હતી અને તે દેશની તમામ વારસાગત સંપત્તિ તુર્કીની જ હતી.

નિવેદનમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે ગ્રીસ એકમાત્ર યુરોપિયન દેશ છે કે જેની રાજધાનીમાં કોઈ મસ્જિદ નથી અને જેના મુસ્લિમ તુર્કી સમુદાય પર દબાણ યુરોપિયન માનવ અધિકાર અધિકારીઓ (ECtHR) દ્વારા નોંધાયેલું છે.

આયા સોફિયા મસ્જિદ 86 વર્ષમાં પહેલી વાર શુક્રવારે પૂજા માટે ફરી ખોલવામાં આવી. આ મહિનાની શરૂઆતમાં, તુર્કીની અદાલતે 1934 ની તુર્કી સરકારના હુકમનામું રદ કર્યું હતું, જેનાથી આયા સોફિયાને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવી હતી, જે મસ્જિદ તરીકે તેના ઉપયોગ માટેનો માર્ગ મોકળો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here