મોરબી, આરીફ દીવાન :-
માળિયા તાલુકાના દેરાળા ખાતે દેરાળા ના શહેનશા હજરત મોહમ્મદખા વલી નો ઉર્ષે મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ યોજાશે જેમાં અંગ્રેજી તારીખ 12/ 3 /2023 ને રવિવાર ના રોજ સાંજે ચાર કલાકે સંદલ મુબારક ત્યારબાદ સાંજે સાત કલાકે નયાજ શરીફ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ મોરબીના મશહૂર આદમ મૌલાના સાહેબ વાયજ શરીફ ની તકરીર ફરમાવશે આ કાર્યક્રમની સફળ બનાવવા માટે હજરત મોહમ્મદખા દરગાહ શરીફ ના ખાદીમ અને ઉર્ષ મુબારક કમિટીના સભ્યો જહેમત ઉઠાવશે તેમ એક અખબારી યાદીમાં આરીફ ખાન પૂર્વ સરપંચ એ જણાવ્યું