કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અપહરણ તેમજ સગીર બાળાઓ વિરુદ્ધના ગુનાના નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટેની સુચના મુજબ કાલોલ પોલીસ સ્ટેશનના સીની. પી.એસ.આઇ એમ એલ ડામોર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કાલોલ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ૮૦/૧૦૧૯ ના આરોપીની શોધમાં હતા તે દરમિયાન પીએસઆઇ એમ એલ ડામોરને આધારભૂત માહિતી મળી કે સગીર બાળાને ભગાડી જનાર ઉમેશભાઈ અક્ષયભાઈ રાવળ વેજલપુર બસ સ્ટેન્ડ પાસે ઊભો છે અને કોઈક વાહનમાં બેસી ભાગવાની પેરવી કરી રહ્યો છે તેવી માહિતીના આધારે કાલોલ પોલીસ તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હાલોલ દ્વારા પોલીસ ટીમો બનાવી વેજલપુર બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી જઈ ભોગ બનનાર સહિત ઉમેશભાઈ અક્ષય ભાઈ રાવળને પકડી પાડી લાંબા સમયથી સગીર બાળાનું અપહરણ કરી ભાગતો ફરતો ઈસમને ભોગ બનનાર સહિત આગળની કાર્યવાહી માટે હાલોલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપેલ હોવાનું જાણવા મળ્યું છે.