ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
ડીસા તાલુકાના સમૌ મોટા ખાતે શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલમાં તારીખ 30/ 8/ 2022 ને મંગળવારના રોજ આચાર્યશ્રી જે.સી. ભાવસાર સાહેબના માર્ગદર્શન હેઠળ શાળામાં સમૂહ ભોજન આપવામાં આવ્યું હતું.જેમાં હિતેન્દ્ર જી. સોલંકી, ચંદ્રિકાબેન યુ.પટેલ, મનહરસિંહ એમ.બારડ, કનુ જે. પ્રજાપતિ, સંદીપકુમાર આર. દવે, શ્રેયસ આર.રાવળ,અને જયપાલસિંહ ડી. ગોહિલ,ના તમામ શિક્ષક મિત્રોના સહકારથી આ સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ અને પ્રેમભર્યું વાતાવરણ સાથે ભોજન આરોગ્યું હતું, ધોરણ 9 થી 12 ના 400 જેટલા વિદ્યાર્થીઓએ સમૂહ ભોજન લીધું હતું. સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમમાં જોડાઈ આયોજનને સફળ બનાવ્યો હતો.