નર્મદા જિલ્લામાં એક પણ પોઝિટિવ દર્દી હવે સારવાર હેઠળ નહીં

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

છેલ્લા પાંચ દિવસ થી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી આજની સ્થિતિ એ જિલ્લો કોરોના મુકત બન્યો ??

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૩ દરદીઓને આજે રજા અપાઇ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૩૪,૯૦૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૫૪ જેટલાં જરૂરીયાત વાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૩ દરદીઓને આજે રજા અપાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જીલ્લા મા છેલ્લા પાંચ દિવસ થી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી , અને આજરોજ જે ત્રણ દર્દીઓ ને સારવાર માથી રજા અપાઈ તેની સાથે હવે એક પણ દર્દી સમગ્ર જીલ્લા મા સારવાર હેઠળ પણ નથી , જેથી શુ જીલ્લો કોરોના મુકત બન્યો ?? ની ચર્ચાઓએ જોર પકડ્યું હતું પરંતુ આરોગ્ય વિભાગ એના નિતી નિયમો અનુસાર જાહેરાત કરસે.

આજરોજ સુધી જીલ્લા મા કુલ 4290 પોઝિટિવ કેસો નોધાયા છે.જેમાંથી 153 લોકો ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૪૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૩૦ સહિત કુલ-૯૭૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં તા.૩૦ મી જૂન, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૩૪,૯૦૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૫૪ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૬૩૮૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૬૦૯૯૪ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here