અમરેલી જિલ્લાના વડીયાના હોમ ગાર્ડ ધ્રુવરાજભાઈ બોરીચાનું અવસાન થતાં તેમના વારસદારને સરકારશ્રી દ્વારા રૂ.1,55,000 ની મુત્યુ સહાય આપવામાં આવી.
અમરેલી,
હિરેન ચૌહાણ
અમરેલી જીલ્લાના વડીયા યુનિટના હો.ગા. સભ્યશ્રી ધ્રુવરાજ રાજુભાઈ બોરીચાનાઓનું અવસાન થતાં તેઓના વારસદાર (માતુશ્રી) ગં.સ્વ. શાંતુબેન રાજુભાઈ બોરીચાના ઓને મૃત્યુ સહાય ₹.૧,૫૦,૦૦૦/- અને મરણોત્તર સહાય ₹.૫૦૦૦ કુલ મળીને ₹.૧,૫૫,૦૦૦/- મે.કમાન્ડન્ટ જનરલ સા.શ્રી હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય; અમદાવાદ (કલ્યાણ નિધિ) દ્રારા દરખાસ્ત મંજુર કરાતા નામદાર ગુજરાત સરકારના ગૃહ વિભાગના નાયબ સચિવશ્રી એ.વી.વાળા સાહેબના વરદ હસ્તે શ્રી અશોક જોષી જીલ્લા કમાન્ડન્ટશ્રી, અમરેલીના ઓની હાજરીમા ચેક અર્પણ કરાયો. આ તકે શ્રી જીતુ બોરીચા ઇન્ચાર્જ ઓફિસર હોમ ગાર્ડ યુનિટ વડીયા તથા શરદ સાપરિયાં ઇન્ચાર્જ ઓફિસર હોમગાર્ડઝ યુનિટ લીલીયા હાજર રહેેેેલ.