શહેરા(પંચમહાલ),
ઇમરાન પઠાણ
ગુજરાત રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં તંત્ર દ્વારા ૭૧માં વન મહોત્સવની ઊજવણી કરવામાં આવી રહી છે.ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના ૭૧માં વન મહોત્સવની ઉજવણી શહેરા રેન્જના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કોરોના સંક્રમણને કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસન્ટન્સિંગના ચુસ્ત પાલન સાથે કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં શહેરા વનવિભાગના કર્મચારીઓ તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.