કાલોલ તાલુકાના એક ગામમાં સગીરા ઉપર બળાત્કાર કરનાર નરાધમ અને તેના માતાપિતા સામે ફરિયાદ

મુસ્તુફા મિરઝા, કાલોલ(પંચમહાલ)

કાલોલ તાલુકાના એક ગામમાં પોતાના સગાને ઘરે રહેતી સગીરા ઉપર રક્ષાબંધનના બીજા દિવસે ઘરના સભ્યો સાથે સૂતી હતી તે દરમિયાન રાત્રે ચિરાગ વિજયસિંહ રાઠોડ તેના ખાટલા પાસે ઘસી આવીને પટાવી ફોસલાવી જારકર્મના ઈરાદે સરકારી શાળા ખુલ્લા ઓરડામાં લઈ જઈને તેણીની મરજી વિરુદ્ધ વહેલી સવાર સુધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ વિજય સગીરાને લગ્ન કરવાના ઇરાદે ભગાડી જવાની પેરવીમાં હતો ત્યારે તેના માતાપિતા રસ્તામાં મળી જતા સગીરાને પોતાના ઘરે લઈ જઈને પોતાના છોકરાને ભગાડવાનો આક્ષેપ કરી માર માર્યો હતો અને ચૂપ રહેવાની ધમકી આપી હતી, ગોધી રાખી હતી જેને સગીરાના સગાને જાણ થતાં છોડાવી કાલોલ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે વિજય રાઠોડ સામે પૉકસો તથા બળાત્કાર અને મદદગારી કરનાર તેના માતાપિતા સામે ફરિયાદ નોધી જેની તપાસ હાલોલના સી.પી.આઈ એ હાથ ધરી તમામ કસૂરવારોને કોરોના પરીક્ષણ માટે મોકલી સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલી આપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here