રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
વડોદરા ના ખાનગી દવાખાનામાં જોબ કરતી પત્નિ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ તુ ગમતી નથી નું પતિ દેવ નુ મહેણું પત્નિને મોત ના મુખે લઇ ગયો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે રહેતી અને વડોદરા ના ખાનગી દવાખાનામાં જોબ કરતી મહિલા દ્વારા આપઘાત કરવાની ઘટનામાં પતિ દેવ વન કર્મી વિરૂદ્ધ પોલીસ મથક મા આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવા નો ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર પુનિયાભાઇ ફીકલાભાઇ રાઠવા રહે,સીમલ ફળીયા, તા.જિલ્લો છોટાઉદેપુર નાઓ એ સાગબારા પોલીસ મથક મા આપેલી ફરિયાદ મુજબ તેમની દીકરી દક્ષાબેને અજીત ભાઇ ભુરાભાઇ રાઠવા, મુળ રહે.સીમલ ફળીયા, તા. છોટાઉદેપુર હાલ રહે. દેવમોગરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા,પ્રેમ લગ્ન બાબતે સમાજના રિત રીવાજ મુજબ દાવો ભાંગવાનો બાકી હતો દક્ષા બેન વડોદરા ખાતે કોઇ ખાનગી હોસ્પીટલ મા જોબ કરતા હોઇ તેઓ દેવમોગરા ખાતે તેમના પતિ અજીતભાઈ કે જે દેવમોગરા ખાતે ફોરસ્ટ ખાતામા નોકરી કરે છે તેમને સમાજના રિત રીવાજ મુજબ દાવાની વાત કરતા ત્યારે પતિદેવ કોઇ ને કોઇ બહાનુ કાઢતો અને પત્ની ને મ્હેણાં ટોના મારી કહેતો કે તુ મને ગમતી નથી !!! અને તને રાખીશ તો પણ બીજી સ્ત્રી સાથે રાખીસ અને તુ અહીંયા થી જતી રહે તેમ કહી પોતાની પત્નિ ને આપઘાત કરવા માટે મજબુર કરી મરવા માટેનુ દુસ્પ્રેરણ કર્યુ હતુ.
પતિદેવ દ્વારા આ રીતની વાત કરાતા પત્નિ ના મન પર લાગી આવતા પત્ની દક્ષા બેને ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે રાજપીપળા સરકારી દવાખાના માં લવાઇ હતી જયાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજતાં પોલીસે પતિ અજિત રાઠવા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.