સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
મહેસાણા દૂધસાગર ડેરીના વ્યવસ્થાપક બોર્ડને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ચેરમેન અશોકભાઈ ચૌધરી નું સ્મૃતિચિન્હ હાર પહેરાવી ડીરેકટર રણજિત સિંહ સોલંકી અને મિત્રો દ્વારા સન્માન કરાયું હતું. સિદ્ધપુરના હાઈવે ની એક હોટલમાં યોજાયેલ સમારોહમાં સિધ્ધપુર, પાટણ અને સરસ્વતિ તાલુકાના પશુપાલકો,દૂધ મંડળીઓના પ્રતિનીધીઓ, સામાજીક-રાજકિય આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.