સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુરના બિંદુ સરોવર પીકઅપ બસસ્ટેન્ડનો કન્ટ્રોલ પોઈન્ટ એકાદ-બે દિવસમાં જ ચાલુ કરાશે એવું વિભાગીય નિયામક કિરીટભાઈ એસ.ચૌધરીએ જણાવ્યું હતું.સિદ્ધપુર શહેરના ઘણાખરા મુસાફરો બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે. પરંતુ અહીં દિવસભર ખાનગી શટલીયા ઈકો સહિત લારી-રીક્ષાવાળા ઓ ગેરકાયદેસર અડીંગો જમાવતા હોવાના કારણે મુસાફરોને નાછૂટકે પુરઝડપે દોડતા વાહનો વચ્ચે જીવના જોખમે હાઇવે ઉપર જ ઉભા રહેવું પડતું હોય છે.આ ઉપરાંત કેટલીય બસો આ સ્ટેન્ડ ઉપર ઉભી રહ્યા વગર બારોબાર જ નીકળી જતી હોય છે..આમ પ્રર્વતમાન સમયે મુસાફરોને અનેક હાલાકીઓ વેઠવી પડી રહી છે.ત્યારે હવે આ સ્ટેન્ડ ઉપર કાયમી ધોરણે કન્ટ્રોલર મુકવામાં આવતા મુસાફરોને બસ અંગેની પૂછપરછ સહિતની આ તમામ મુશ્કેલીઓનું સુખદ સમાધાન આવશે.આ પીકઅપ સ્ટેન્ડ ઉપર સવારે 8 થી સાંજે 5 કન્ટ્રોલર મુકાશે તેમજ લારી-રિક્ષા ઓ સહિતના ખાનગી વાહનોનો પ્રશ્ન હલ કરાશે એવું સિદ્ધપુર ડેપો મેનેજર એન.કે.ચૌધરીએ જણાવ્યું હતું.અહીં કન્ટ્રોલર મુકાવાથી વધુમાં વધુ મુસાફરો ખાનગી વાહનોના બદલે એસ.ટી.બસોમાં મુસાફરી કરશે જેથી નિગમની આવકમાં પણ વધારો થશે તે ચોક્કસ છે.