પંચમહાલ જિલ્લા સેવાસદન -૧ ના સભાખંડ ખાતે જિલ્લા સમાહર્તાના અધ્યક્ષસ્થાને આગામી ૨૮ તારીખે ઉજવવવામાં આવનાર ‘કસુંબીનો રંગ’ ઉત્સવની ઉજવણી પ્રસંગે આયોજન બેઠક યોજવામાં આવી હતી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લા સેવાસદન-1 ના સભાખંડમાં આજરોજ જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને આગામી ૨૮ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતી નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી,ગોધરા શહેરના સરદારનગર ખંડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સમગ્ર આયોજન અને વ્યવસ્થા શ્રી ગોવિદગુરુ યુનિવર્સિટી અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા કક્ષાની કચેરી દ્વારા કરવામાં આવશે,જેને લઇને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા આગામી ૨૮ તારીખે ઉજવવામાં આવનાર કસુંબીનો રંગ ઉત્સવના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ઉજવણીના કાર્યક્રમ દરમ્યાન સરકારની કોરોના ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન અંગે પૂરતી તકેદારી રાખવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સબંધીત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, કાર્યક્રમ સ્થળને અગાઉથી સેનિટાઈઝ કરવો, મર્યાદિત સંખ્યામાં વ્યક્તિઓને એકઠા કરવા વગેરે બાબત અંગે જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી, આ બેઠકમાં અધિક જિલ્લા નિવાસી કલેકટરશ્રી એમ.ડી. ચુડાસમા,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી. એસ.પંચાલ,જિલ્લા રમતગમત અધિકારીશ્રી પ્રકાશ કલાસ્વા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here