સંખેડા તાલુકાના બહાદરપુર ગામે આત્મનિર્ભર રથ આવતા ગ્રામ સભા રાખવામાં આવી…

સંખેડા,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી

બહાદરપુર ગામે આત્મનિર્ભર રથ આવ્યો અને એ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ અને આત્મનિર્ભર રથ ને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને ગામના સરપંચ તથા તમામ સભ્યો હાજર રહી આત્મનિર્ભર રથ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામના નાગરિકો પણ હાજર રહ્યા હતા અને તમામ સભ્યોની હાજરીમાં અને સરપંચ ની હાજરીમાં ગ્રામ સભા રાખી ગામના પ્રશ્નોનું નિરાકરણ કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી અને આત્મનિર્ભર રથ દરમિયાન બહાદરપુર જિલ્લા પંચાયત સદસ્ય જશોદાબેન બારીયા બહાદરપુર તાલુકા પંચાયત સદસ્ય નયનાબેન તડવી ગ્રામ પંચાયત સરપંચ ક્રિષ્નાબેન દેસાઈ સંખેડા તાલુકા વિકાસ અધિકારી તથા નોડલ ઓફિસર અને આસિસ્ટન્ટ મોડલ અને નજીકના ગ્રામ પંચાયત ના ગ્રામ સેવકો એ પી ઓ સરકારી દવાખાના ના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામસભા માં અનેક યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here