સંખેડા, ( છોટાઉદેપુર) ચારણ એસ વી :-
સંખેડા તાલુકાના પીપળસટ ગામે બરોડા પબ્લીક સ્કૂલ ખાતે 74 મો જિલ્લા કક્ષાનો વન મોહત્સવ યોજાયો જેમાં વૃક્ષો વાવાથી શું ફાયદો થાય તેની ખેડૂતોને સમજણ અપાઈ હતી અને ખેડૂતોને ચેક વિતરણ કરી લાભો અપાયા હતા આદિવાસી વિસ્તારમાં ખેડૂતોમાં જાગૃતિ આવે વૃક્ષો વાવે જિલ્લો હરયારો બને તે હેતુ થી કાર્યકમ યોજાયો હતો 50 હજાર જેટલા વૃક્ષો વાવનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરાયા હતા જયારે જિલ્લા પંચાયત પ્રમુખે જન્મ દિવસ નિમિતે લોકોને 5 વૃક્ષો વાવ અપીલ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય અભેસિંગ તડવી,તાલુકા પંચાયત પ્રમુખ સંજય દેસાઈ,ગાંધીનગરના ગીર ફાઉન્ડેશનના નિયામક આર.કે.સુગુર સહિતના જિલ્લા અને તાલુકાના વન અધિકારીઓ હાજર રહી વૃક્ષરોપણ કર્યું હતું.