શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્રારા ૧૮૦ થી વધુ દીકરીઓને વસ્ત્રો અર્પણ કરવામા આવ્યા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વાર ૧૮૦થી વધુ દીકરીઓને તથા તેમની માતાઓને સંસ્થાના નવા તૈયાર કરવામા આવેલ વસ્ત્રો દિવાળી નિમિત્તે અર્પણ કરવામા આવ્યા હતા દિવાળીનો તહેવાર હોય એવા શુભ દિવસોમા કોઈ ના ચહેરા પર સ્મિથ લાવવાનો અવસર મળ્યો તેના લીધે શ્રી સ્વામી ફાઉન્ડેશન ખૂબ આનંદ ની લાગણી અનુભવે છે અને આ કાર્ય છોટાઉદેપુર જિલ્લાના કીકાવાડા તથા અન્ય અંતરિયાળ ગામોમા કરવામાં આવ્યુ અને શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્રારા આપવામા આવેલ ભેટ ને સ્વીકારી દીકરીઓ અને માતાઓ ખુબ ખુશ અને આનંદમય દેખાયા હતા અને શ્રી સ્વામી ફાઉન્ડેશન નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here