શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર,મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીયપરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૬ મી પ્રાગટ્ય જ્યંતીની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ..

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્ગુરુ સંતો સદ્‌ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન, પૂજન, અર્ચન કરી નીરાજન – આરતી ઉતારી હતી અને દેશ-દેશ હરિભક્તોએ ઉલ્લાસભેર દિવ્ય દર્શનનો ભક્તિભાવપૂર્વક લહાવો લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here