આગામી બોર્ડની પરીક્ષાઓને લઈને પંચમહાલ જિલ્લામાં ખંડ નિરીક્ષકની તાલીમ યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ, ૨૦૨૪ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની જાહેર પરીક્ષા યોજાનાર છે.

પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખંડ નિરીક્ષકની તાલીમ યોજાઈ હતી. જિલ્લામાં તમામ તાલુકા લેવલ પર ખંડ નિરીક્ષકની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખંડ નિરીક્ષકને પરીક્ષા દરમિયાન કરવાની થતી કામગીરી તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષાની અસરકારક, આયોજનબદ્ધ અને સમયમર્યાદામાં પરીક્ષા આપી શકે તેવા આશય સાથે તેમને મુંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શિત કરવા સહિત ૧૪૪ના જાહેરનામાં સબંધિત તાલીમનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here