છોટાઉદેપુર તાલુકામાં આવેલ કાનાવાટના ગરીબ આદીવાસી પરિવારોએ ન્યાય મેળવવા જીલ્લા કલેકટર ને આજ રોજ આવેદન આપી રજૂઆત કરી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર તાલુકા ના બરોજ જુથ ગ્રામ પંચાયત માં આવેલ કાનાવાટ ગામના આદિવાસી પરિવારો એ આજરોજ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી મહામંત્રી શંકરભાઈ રાઠવા ને તેઓની બાપ દાદા સમય થી ચાલતી આવતી જમીન બાબતે રજૂઆત કરી હતી. અને મહામંત્રી શંકરભાઈ રાઠવા એ સાથે જઈ જીલ્લા કલેકટર ને આ ગરીબ પરિવારો ને ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી.
કાનાવાટ ખાતે રહેતાં આ ગરીબ આદિવાસી ગ્રામજનો બાપદાદા ના સમય થી જમીન ખેડતા આવ્યાં છે. તેઓને પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા આ જમીન ની સનદ પણ આપવામા આવી છે. પરતું છેલ્લાં એક માસ માં વન વિભાગના કર્મચારીઓ દ્વારા જમીન માં ખાડા ખોદી દેવામાં આવ્યાં છે. અને પોલિસ સાથે રાખી ધાકધમકી આપવામા આવતાં તેઓ એ આજરોજ જીલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here